આપણા દેશના વડાપ્રધાનને દેશના તમામ લોકો માટે ઘણી બધી યોજના અમલમાં મૂકી છે જેનો લાભ દેશવાસીઓ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ખાસ કરીને દેશની ગરીબી માટે ઘણી યોજના શરૂ કરી છે જેના કારણે ગરીબોને ઘણી સુવિધા મળી છે જે આજે અમે યોજના લાવીએ છીએ તે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું નામ વિધવા સહાય યોજના છે તેનો લાભ પણ દેશના તમામ મહિલાઓ મેળવી શકે છે.
આ યોજના હેઠળ જે મહિલા પોતાનો પતિ ગુમાવેલ હોય તેને કઈ સહાય ન હોય તેના માટે આ યોજના બનાવેલ છે તેમાંથી તેમને આ યોજનાનો લાભ પાત્રોટા દસ્તાવેજો અને અન્ય માહિતી મળશે અને તમે સરળતાથી અરજી કરી શકશો.
ગ્રામીણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે જેના અંતર્ગત 18 કે તેથી વધુ ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને તથા ભારત સરકાર શ્રી ના અનુસરે સુધારેલા ધારા ધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લાભાર્થીઓ માટે આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે.
વિધવા સહાય યોજના મેળવવા બાબત vidhva sahay yojana 2024 documents gujarati
- પુરાવાઓની પ્રામાણિત નકલ
- અરજદાર ની અરજી
- સોગંદનામુ
- આવક અંગેનું પ્રમાણપત્ર
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
- અરજદારના પતિનો મરણ દાખલો
- અરજદાર નો જન્મ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના અથવા સિવિલ હોસ્પિટલ ના તબીબી અધિકારીશ્રી નો ઉંમર અંગે નો દાખલો.
- અરજદાર ના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
- મૈયતના વારસાદારનું પેઢીનામુ
- 18 થી 40 વર્ષની વય જૂથના અરજદારો એ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્યતા ટ્રેડની તાલીમમાં જોડાવાના અંગે નું તલાટી શ્રી ની રુબરુની બહેતરી પત્ર.
- પુનઃલગ્ન કરેલ નથી તે બદલ નું પ્રમાણપત્ર
- 21 વર્ષની ઉંમર નો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય આજીવન કરાવવા ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તાધારી અધિકારના દાખલા.
- અરજદારે પોતાનું શરીર પરના ઓળખાણ નું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.
વિધવા સહાય યોજના રાખવા માટેની શરતો vidhva sahay yojana 2024 gujarati
નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાના સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે તે નીચે પ્રમાણે છે.
વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમને ગુનો લગન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીને પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
વિધવા સહાય યોજના નો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધીત મામલતદાર શ્રી ની કચેરીમાં આપવાનું રહેશે.
વિધવા સહાય યોજના સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? vidhva sahay yojana 2024 gujarati
ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજના ઓનલાઈન અરજી કર્યા અરજીનું સ્ટેટસ જાણી શકે છે લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું ઓનલાઇન સ્ટેટસ પોતાનું રજીસ્ટર નંબર નામ અને સેકશન નંબર દ્વારા જાણી શકે છે.
1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/આ વેબસાઈટ ઓપન કરવી.
2. NSAP વેબસાઈટ ખોલ્યા બાદ રિપોર્ટમાં જવું.
1. Report મા beneficiary search, track and pay માં જવું.
2. ત્યારબાદ pension payment details માં જવું.
3. લાભાર્થી ત્રણ રીતે પોતાની online application નું status જાણી શકશે.
4. Sanction order no/application no
5. Application name
6. Mobile number
વિધવા સહાય મેળવતા લાભાર્થીઓ માટે સૂચના vidhva sahay yojana 2024 gujarati
વિધવા સહાય યોજના અન્વયે સહાય મેળવતા લાભાર્થીઓ માટે જે તે જિલ્લા કચેરીઓ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી છે જે લાભાર્થીઓના આધારકાર્ડ વેરીફાઈ નથી તેવા લાભાર્થીઓને પોતાનું આધારકાર્ડ વેરીફાઇ કરાવવું પડશે સાથે સાત પોતાના મોબાઈલ નંબરની એન્ટ્રી પણ કરાવી લે જેથી ભવિષ્યમાં આધાર બે પેમેન્ટ ચાલુ થતા સહાય બંધ ન થાય.
પ્રશ્નો
1. વિધવા સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે
2. ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?
આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250 ની સહાય આપવામાં આવે છે
3. વિધવા સહાય યોજના income limit કેટલી નક્કી કરવામાં આવે છે?
ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક ₹1,20,000 કરતા વધુ ન હોવી જોઈએ
શહેર વિસ્તારોના અરજદારની કુટુંબની આવક 1,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ.
4. વિધવા સહાય યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર કયો છે?
રાજ્ય કક્ષાએ વિધવા સહાય હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે જેનો નંબર 155 209 છે.